Sunday 19 August 2012

સમય

સાર:
"આ જગતમાં સમય સૌથી બળવાન છે. જે અવિરત ગતિમાન રહે છે. એ  કોઈ ને નથી અનુસરતો બધા એને  અનુસરે છે. સમયની એક પલટીથી રાજા ને રંક બનતા વાર નથી લાગતી.. ધરતીની એક ધ્રુજારીથી શાનથી ઉભેલો મેહેલ પણ પડી જાય છે. ગર્વથી મલકાતું યુવાન પુષ્પ સાંજ થતા જ ખરી જાય છે, અને શાનથી ચમકતોઆ સૂર્ય સાંજ થતા ઢળી જાય છે. પ્રિયતમની યાદમાં દિવસ પલકારમાં વીતી જાય છે દુ:ખ ની ઘડી આવતા એક પલ પણ વર્ષ સમ બની જાય છે. એટલો બધો સ્વાર્થી થઇ ગયો છે આ માનવી કે ધનની લાલચમાં જન્મ આપનાર ઈશ્વેર( માં-બાપ) ને પણ ભૂલી જાય છે. 'સત્ય' એ જ છે ક સંપૂર્ણ જીવન જે માનવી સંબંધોની માયામાં વિતાવે છે એ જ અંતમાં બધું ત્યાં જ ત્યજી જાય છે."


 ક્યાં કરે છે કોઈની પ્રતીક્ષા સમય આ જગતમાં,
અહી પળમાં રાજા રંક થઇ જાય છે.

ધરતીના એક ધ્રુજારથી,
હસતો રમતો મહેલ પળ વારમાં પડી જાય છે.

યુવા પુષ્પનું યૌવન સાંજ ઢળતા ખરી જાય છે,
જવાન ઉગેલો સુરજ સાંજે ક્યાં ઢાળી જાય છે???

પ્રેમમાં વર્ષો પળ ની જેમ વીતી જાય છે,
દુઃખનો સમય આવતા પળ વર્ષો બની જાય છે.

ધન ની લાલચમાં માં-બાપને ભૂલી જાય છે,
ભાઈ-બહેનને તો છોડો માનવી ઈશ્વેરને પણ ભૂલી જાય છે,

જીવે છે જે જીવન સુખની મોહ માયામાં 'સત્ય' એ છે કે,
એજ પ્રાણ પંખી અંતમા બધું ત્યાંજ ત્યજી જાય છે.
                                                           
                                                        - શિવમ (સત્ય)

No comments:

Post a Comment