Sunday 19 August 2012

અસ્તિત્વ

સાર:
શું ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે?? 
જો બધે જ વર્ચસ્વ પ્રભુ નું હોય તો, માનવીની ઓળખ શું છે?? કહવાય છે કે ભક્તિ નું ફળ અચૂક મળે છે, તો  શું તું નસીબ બદલી શકે છે?? લોકો કહે છે કે મારો ઈશ્વર કરે છે ઈચ્છા પૂરી, તો રાત-દિવસ ગરીબી ના નામે મૂર્તિ સામે રડતો ગરીબ કેમ છે?? જો તારું અસ્તિત્વ દરેક કણ દરેક મન માં છે તો માનવીમાં રહેલો આ અહંકાર આ દ્વેષ આ ઈર્ષા શું છે??? આપજે  જવાબ મને મારા સવાલોનો જો તારું ખરેખર અસ્તિત્વ હોય તો ભગવાન નહિ તો તારા અસ્તિત્વ ને હું નકારું છું. 
શું ખરેખર વિચારવા જેવું નથી ?? કે જો  સ્વયં ઈશ્વરએ લખેલ ગીતામાં પણ એમ લખ્યું હોય કે ફળ માત્ર અને જ મળે છે જ મેહનત કરે છે તો પછી આ મૂર્તિ ને પૂજવાનો શો ફાયદો.. ..... .... ?????

હે પ્રભુ જો બધે તારું જ વર્ચસ્વ હોય,
તો મારું અસ્તિત્વ શું છે??

જો ભક્તિથી જ ફળ મળતું હોય,
તો આ નસીબ શું છે??

જો કરતો હોય તું માત્ર ભક્તોની જ ઈચ્છા પૂરી,
તો તને રાત-દિવસ પુજતો ગરીબ શું છે,

જો વસતો હોય તું કણ કણ અને મન મન માં,
તો અહંકાર ની આ વાચા શું છે ???

નથી માનતો તારા અસ્તિત્વ ને હું 'સત્ય'એ ખુદા,
જો મહેનત થી જ ફળ મળતું હોય તો તારી જરૂરત શું છે.
                                                           
                                                             - શિવમ (સત્ય)  

No comments:

Post a Comment