મરણ પછીની જિંદગી..........
આજ કલ્પો બાદ મેં પણ, ઘડી મિલનની જોઈ છે!
મરણ પછી જાણે અચાનક, જિંદગી મેં જોઈ છે.
ના રોકશો આજે મને નાદાન કલયુગ વાસીઓ,
રણમાં ભટક્યો દરબદર, આજે નદી મેં જોઈ છે.
ફકીર સમજી છોડી દીધો, જેણે મને સંસારમાં,
બેહાલ આજે એણે પણ બેકાર ફકીરી જોઈ છે.
ના તોળશો મુંજને ભલા તમારા સ્વાર્થી ત્રાજવે,
હબકે ચડેલી એમ પણ બેકારી ઘણી મેં જોઈ છે.
ધોશો નહિ શિવલિંગ સમજી મને'ય ગંગા ધારથી,
તમારા પાપોથી ભરેલી, ગંગા નદી મેં જોઈ છે.
શું શોધશો પથ્થર મહીથી એમ પણ રત્નો તમે?
ન્યાયની મૂરતને અહીયાં,આંધળી મેં જોઈ છે.
તડપી રહ્યો તો સર્પ પણ, એક માનવીનાં ડંખથી!
નજરો પણ બેફામ મેં, હલાહલ ભરેલી જોઈ છે.
હોડમાં ને હોડમાં એ બાજી ઘણી હારી જશે,
જ્ઞાનથી અડધી ભરેલી ગાગર ઘણી મેં જોઈ છે.
દુરગુંણોથી પર એવા ઘણા માનવી પણ હોય છે.
સંસારમાં મેં માતને ઈશ્વેર બનેલી જોઈ છે.
હુંય જોગી છોડી નીકળ્યો, આ મતલબી સંસારને,
દોગલા મોહરાથી ભરેલી દુનિયા ઘણી મેં જોઈ છે.
ને જિંદગીને આખી આયુ 'સત્ય' હું સમજી રહ્યો,
સાચું કહું તો મોતને મેં, દુલ્હન બનેલી જોઈ છે.
- 'સત્ય' શિવમ
મિત્રો, આ ગઝલને વાંચતા એક નજરે તમેન એમ લાગશે કે મેં પ્રેમ અને સાધત્વની વાત મિશ્રણ કર્યું છે.
પણ, આ ગઝલમાં હું પ્રેમનાં મિલનની નહિ પણ જીવન બાદ દેહનાં મૃત્યુ સાથેનાં મિલનની અને આત્માંનાં મુક્તિ સાથેનાં મિલન ની વાત કરવાં માંગું છું.
ગઝલ માટેનું તમારું શું મંતવ્ય છે તમારા વિચારો શું છે જણાવજો ...
તમારા અભિપ્રાયોની હું રાહ જોઇશ......